August 15, 2012

ફરી રાષ્ટ્રના કણકણથી

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
               આજે છે ૧૫મી ઓગસ્ટ. આપણો સ્વતંત્રતા દિવસ. સન ૧૯૪૭ મા આજના દિને જ અઁગ્રેજોના શાસનમાઁથી આપણે મુક્ત થયેલા. પણ હજી પણ ઘણી એવી બદી રહી ગઈ છે કે જેમાંથી આપણે આઝાદી મેળવવાની બાકી છે પણ એ માટે આપણે સહુ એ એકમત થવુ પડશે અને પોતાનાથી જ શરૂઆત કરવી પડશે તો જ આ ભ્રષ્ટાચાર, ગરીબી, નિરક્ષરતા, વ્યસનો, પાશ્ચાત્ય સઁસ્કૃતિનુ આઁધળુ અનુકરણ, વગેરે જેવા પરિબળોમાંથી મુક્ત થઈ સાચા અર્થમાં મુક્તિ મેળવી શકીશું. તો ચાલો આજે માણિએ આવી જ એક જોશ સભર રચના... આપ આપનો અમૂલ્ય અભિપ્રાય પણ જરૂરથી આપશો...
 
રણઘેલા હિન્દુ યુવકોની વિજયગર્જના ગાજે,
ફરી રાષ્ટ્રના કણકણથી અભિમાન સ્વત્વનું જાગે.

પાવનક્ષણ આ માતૃભૂમિના અપમાનો ધોવાની,
આજ પ્રતિક્ષા કરતી માતા રણતત્પર યૌવનની,
સત્પુત્રોના બલિદાને અમ રાષ્ટ્ર ચેતના જાગે...
ફરી રાષ્ટ્રના...

પ્રાચીનતમ આ રાષ્ટ્રદેવ પર સંકટવાદળ છાયા,
દુષ્ટ વિદેશી કાક ગીધોના આજ પડ્યા ઓછાયા,
સઁઘશક્તિના સૂર્યકિરણથી નવચૈતન્ય પ્રકાશે…
ફરી રાષ્ટ્રના...

સ્વતઁત્રતાના રક્ષણ કાજે વહેશે શોણિતધારા,
અસુરશક્તિને મહાત કરશે સાત્વિક ચિંતનધારા,
પુન: વિશ્વના સિંહાસન પર ભારતમાત બિરાજે,
ફરી રાષ્ટ્રના..

No comments: