જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો બીજો જન્મદિવસ.અને આ પ્રસંગ પર રમેશભાઈ એ મોકલાવેલ રચના અને તેમની શુભેચ્છાઓ ચાલો માણીએ તેમના જ શબ્દોમાં..અને હા આપના અમૂલ્ય બે બોલથી અમને જરૂરથી પાવન કરશો.
થઈ મનનો વિશ્વાસ રમશું
ઉર ને ભાવભરીને સજશું
ઘર દીવડા થઈ ઝળહળશું
ને પાવન પ્રકાશ પાથરશું
મનના વિશ્વાસને આ શુભ દિને અંતરથી અભિનંદન. મેડિકલ લાઈનની વ્યસ્તતા છતાં સાહિત્યથી પ્રેમનાં
ઝરણામાં સૌને ભીંજવતા ડો શ્રી હિતેશભાઈ અને મનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અને ગત વર્ષે આજના દિન પર રજું થયેલ સાત-સાત રચનાઓ ની પણ ફરી મુલાકાત જરૂરથી લેજો.

પ્રેમ એતો પાવન પમરાટ
રૂપાળો કે રૂક્ષ થઈ બદલતો ઘાટ
પ્રેમ એતો સાગરની જાત
મળે ચંદરવો તો ઉછળે જઈ આભ
પ્રેમ એતો દિલનો ઉજાશ
સમર્પણથી નિશદિન મ્હેંકે સુવાસ
પ્રેમ એતો ભીંનો વરસાદ
ઝીલીને પ્રેમનો માણો અહેસાસ
પ્રેમ એતો સ્વપ્નોની ચાહ
માના ખોળાની કહે મમતાની વાત
પ્રેમની વાતો છે રંગીલી યાર
કોઈ દિ ગાયે ગઝલ કે રૂવડાવે રાત
પ્રેમ પૂરે જીવનમાં શક્તિ અનંત
પ્રેમની વાતોના નોંખા છે રંગ
ફૂલની ફોરમ લઈ મ્હેંકે છે પ્યાર
ચાહ વિના જીંદગી અધૂરી છે યાર

No comments:
Post a Comment