May 7, 2009

ગુજરાતી શબ્દ-સ્પર્ધાની પૂર્વતૈયારી...ઋ શબ્દસંશોધન

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આપ સર્વે જાણતા જ હશો કે ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વતૈયારી હવે પૂર્ણતાને આરે છે અને ગુજરાતી શબ્દ સ્પર્ધાના અલાયદા બ્લોગનું પણ મુહૂર્ત થઈ ચૂકેલ છે તો આજે સમયની વ્યસ્તતા છતા કાન્તિભાઈ કરશાળાની મદદથી ઋ શબ્દ સંશોધનની શબ્દોનું લિસ્ટ તૈયાર કરેલ છે જે આપ સર્વેના જ્ઞાનમાં પણ વધારો કરશે.અને તેને યથાયોગ્ય શબ્દપ્રયોગ પણ મૂક્યા છે છતા જો કોઈ ક્ષતિ લાગે તો મને જણાવવા વિનંતી...






























































































































































































































ક્રમ



શબ્દ



અર્થ



શબ્દપ્રયોગ



૦૧



ઋકથ



ધન;દોલત;


દ્રવ્ય; પૈસો.



નિતિન પાસે પુષ્કળ ઋકથ હોવા છતાં તેનામાં અભિમાનનો છાંટોયે નહોતો.



૦૨



ઋક્સહસ્ત્રમિતેક્ષણ



શિવનાં હજાર માંહેનું એક નામ.



બિલ્વપત્ર અને દૂધના અભિષેકથી ઋકસહસ્ત્રમિતેક્ષણની પૂજા અર્ચના કરવામાં આવે છે.



૦૩



ઋક્સામ



ઋગ્વેદ અને સામવેદ.



ઋકસામ પ્રાચીન જ્ઞાનવિશેષ અને સંગીતપ્રધાન સાહિત્ય છે.



૦૪



ઋક્શૃંગ



વિષ્ણુ.



અમૃતનો કળશ દાનવો પાસેથી પાછો મેળવવા માટે ભગવાન ઋકશૃંગે મોહિની રૂપ ધારણ કરેલું.



૦૫



ઋખિ



ઋષિ; મુનિ; તપસ્વી; સાધુ.



ભગવાનને પ્રસન્ન કરવા ઋખિ કઠોર તપ કરતાં.



૦૬



ઋખ્યમાન



નર્મદા નદી પાસેનો નામનો પર્વત.



નર્મદા નદીના કિનારે ઋખ્યમાન એક તપસ્વીની માફક બિરાજેલ છે.



૦૭



ઋગ્મિય



વખાણવા જેવું.



કવિ રાજારામ વર્માનાં તૈલી ચિત્રો ઋગ્મિય હોય છે.



૦૮



ઋગ્મી



પૂજા કરતું;


માન આપતું.



. કેટલાક દંભી લોકો બધાની સમક્ષ પોતે ઋગ્મી હોવાનો ઢોંગ કરે છે.


. ઋગ્મી[માન આપતી] વ્યક્તિ દરેકનું મન મોહી લે છે.



૦૯



ઋચીષ



નરક,


લોઢી.



. દાનપુણ્ય કરનારને મૃત્યુ બાદ સ્વર્ગ અને પાપલીલા આચરનારને ઋચીષ પ્રાપ્ત થાય છે.


. રસોડામાં તાવડીનું સ્થાન હવે ઋચીષે લઈ લીધું છે.



૧૦



ઋતપેશ



સંપૂર્ણ સ્વરૂપવાળું.



ઋતપેશ ભગવાન વિષ્ણુના દર્શનમાત્રથી સર્વ જીવોનું કલ્યાણ થાય છે.



૧૧



ઋતસદન



યજ્ઞ માટે બેસવાનું સ્થાન.



ઋતસદન હંમેશા સ્વચ્છ અને પવિત્ર હોવું જોઈએ.



૧૨



ઋતિકર



દુર્ભાગી; કમનસીબ.



જેમના માથા પર માતા-પિતાની છત્રછાયા નથી હોતી તેઓ ઘણા ઋતિકર હોય છે.



૧૩



ઋત્વિક



પુરોહિત; આચાર્ય; ઋત્વિજ.



ગર્ગઋષિ યાદવોના ઋત્વિક હતાં.



૧૪



ઋતુધામા



ઇંદ્ર. તે સ્વર્ગમાં રહે છે



દાનવોએ ઋતુધામા પર આક્રમણ કરતાં દેવોમાં ખળભળાટ વ્યાપી ગયો.



૧૫



ઋતોક્તિ



સત્ય કથન; સાચું કહેવાપણું.



રાજા હરિશ્ચન્દ્રનું નામ આજે પણ તેમની ઋતોક્તિ માટે જાણીતું છે.



૧૬



ઋદ્ધિ



પાર્વતી; દુર્ગા.



માતા ઋદ્ધિ ભગવાન શિવ સાથે કૈલાસ પર બિરાજમાન હતા ત્યાં શ્રી ગણેશનું આગમન થયું.



૧૭



ઋદ્ધિદા



નામની એક શક્તિ.



મહાલક્ષ્મીની પૂજાઅર્ચના, આહવાન કરવાથી ઋદ્ધિદા પ્રાપ્ત થાય છે.



૧૮



ઋદ્ધિધારી



સંપત્તિવાળું.



સિનેજગતમાં કામ કરનારા દરેક સિને કલાકારો ઋદ્ધિધારી નથી હોતા.



૧૯



ઋદ્ધિવૃદ્ધિ



આબાદીમાં વધારો.



ભારતમાં ઉત્તરોત્તર થતી ઋદ્ધિવૃદ્ધિ ચિંતાનું કારણ છે.



૨૦



ઋણભાર



કરજનો બોજો



ચાલો સંકલ્પ કરીએ કે ત્રેવડ નહી હોય તો વેચાઈ જાઈશું પણ માથે ઋણભાર કદી નહી રાખીએ.



૨૧



ઋણમત્કુણ



જામીન; હામી.



ધરપકડથી બચવા આગોતરા ઋણમત્કુણની અરજી કરવામાં આવે છે.



૨૨



ઋભ્વ



હિંમતવાન. નિશ્ચયવાળું.



ઋભ્વ વ્યક્તિ કઠીન પરિસ્થિતિમાં પણ વિચલિત થતા નથી.



૨૩



ઋવાદ



મરણ; મોત.



ઋવાદ જિંદગીનું સનાતન સત્ય છે.



૨૪



ઋશય



હિંસા. હિંસા કરવા જેવું



મહાત્મા ગાંધી ઋશયનો હંમેશા વિરોધ કરતા.



૨૫



ઋશ્યદ



હરણ પકડવાનો ખાડો; કૂવો.



મૃગને પકડવા પારધી જંગલમાં ઋશ્યદ બનાવી, છૂપાઈને શિકારની રાહ જોવા લાગ્યો.



૨૬



ઋષિધર્મ



જૈનધર્મ.,


વેદ ધર્મ.



ઋષિધર્મ કહે છે, "અહિંસા પરમો ધર્મઃ"



૨૭



ઋષિપૂજન



બળેવ



ઋષિપૂજનના દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે.



૨૮



ઋષિરાય



શ્રેષ્ઠ ઋષિ; ઋષિઓનો રાજા.



ઋષિરાય વેદવ્યાસે મહાભારત જેવા મહાગ્રંથનું નિર્માણ કરેલું.



૨૯



ઋષીક



માંસાહારી.



સિંહ ઋષીક પ્રાણી છે.



૩૦



ઋષીકા



દેવી. સ્ત્રીઋષિ.



વેદકાલીન યુગમાં ગાર્ગી,મૈત્રેયી, સુલભા જેવી અનેક ઋષીકાઓ થઈ ગઈ.



૩૧



ઋષુ



બળવાન; જોરાવર.



પાંચે પાંડવોમાં ભીમ સૌથી વધું ઋષુ હતા.



૩૨



ઋક્ષપતિ



રીંછોનો રાજા; રીંછોનો સરદાર જાંબુવાન.



શ્રીરામની સેનામાં સુગ્રીવ,અંગદ,હનુમાન,ઋક્ષપતિ જેવા મહાન યોદ્ધાઓ હતાં.



૩૩



ઋક્ષપુંજ



તારાઓનો સમૂહ.



બ્રહ્માંડમાં આપણાં સૂર્ય કરતાં પણ લાખો ગણા મોટા કદનાં અનેક ઋક્ષપુંજ આવેલા છે.



૩૪



ઋક્ષર



પાણીની ધાર.



સતત પડતું ઋક્ષર પથ્થરને પણ કાપી નાખે છે.



૩૫



ઋક્ષલા



ઘૂંટી નીચેની નાડી.


સાંકળ.



.પગનાં રોગોનાં નિદાનમાં ઋક્ષલાનું પરિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે.


.ઉન્મત્ત હાથીને મજબૂત ઋક્ષલા વડે બાંધવો પડે છે.



No comments: