April 7, 2009

વિશ્વ આરોગ્ય દિન ૨૦૦૯...શ્રી મહાવીર જયંતિ...બોલીએ નમો મહાવીર(નવકારમંત્ર અને અર્થ)….. અમિત ત્રિવેદી


જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૭મી એપ્રિલ.એટલે વિશ્વ આરોગ્ય દિન. World Health Day”. વિશ્વ આરોગ્ય સંસ્થા [WHO]ની સ્થાપના આજના દિને થઈ હતી. સંસ્થા દર વર્ષે વૈશ્વિક આરોગ્યને સાંકળતા પાસાઓનો અભ્યાસ કરી જુદા જુદા વિષયો અને મુદ્દાઓ પર સમગ્ર વિશ્વનું ધ્યાન દોરે છે.અને દર વર્ષે ઉજવાતા દિનની દર વર્ષે એક નવી થીમ હોય છે અને વર્ષ ૨૦૦૯ની થીમ છે,


"જીવન બચાવો,તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલો સુવ્યવસ્થિત અને સલામત બનાવો."


અંગ્રેજીમાં કહીએ તો,


"Save lives. Make Hospitals Safe In Emergency."



world-health-day-2009



વિશ્વમાં સર્જાતી કુદરતી કે માનવસર્જીત હોનારતોમાં વ્યક્તિના જીવન માટે સહુંથી સલામત હોસ્પિટલ અને આરોગ્ય સંસ્થાના કાર્યકરોના હાથમાં હોય છે અને હોનારતો સામે ટકી રહેવા માટે હોસ્પિટલોને મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવી પડશે અને તબીબો અને આરોગ્ય કાર્યકરોને પણ આવા વખતે કઈ રીતે કામ લઈ ઉત્તમ આરોગ્ય સેવા પ્રદાન કરી વધું લોકોના જીવન બચાવી શકાય તેવી તાલીમ આપવી જોઈએ, મુદ્દાને ધ્યાનમાં લઈ WHOના વડા, ડાયરેક્ટર ડો.માર્ગારેટે વખતે થીમ નક્કી કરેલ છે. માટે મુખ્યત્વે ત્રણ મુદ્દાઓને આવરી લેવાયા છે



.આપની હોસ્પિટલની સલામતી ચકાસો. Assess the safety of your hospital



.કટોકટીના સમય માટેની આરોગ્ય કાર્યકર્તાઓને યોગ્ય તાલીમ આપો. Protect and train health workers for emergencies.



.કટોકટીમાંથી ઉગરવા સાથે મળી યોજના બનાવો. Plan together for emergency response.



સિવાય પણ ઘણા મહત્વનાં મુદ્દાઓ ધ્યાનમાં લેવા જરૂરી છે. અંગે વધું માહિતી વાંચવા માટે અહીં નીચે આપેલ એક પુસ્તકની લિન્ક પર ક્લીક કરવાથી વાંચી શકશો.અને ઉપરાંત વધું માહિતી જોઈતી હોય કે શું પ્રવૃતિ થઈ રહી છે અને આપણે પણ કઈ કઈ પ્રવૃતિઓ કરી શકીએ તથા ભૂતકાળમાં ઉજવાયેલા વિવિધ વિશ્વ આરોગ્ય દિન અને તેની થીમ તથા સફળતા વિશેની બધી જાણકારી માટે નીચે આપેલ WHOની વેબસાઈટની મુલાકાત જરૂરથી લેજો.


વિશ્વ આરોગ્ય દિન ૨૦૦૯ સંક્ષિપ્ત જાણકારી માટેનું પુસ્તક.


વિશ્વ આરોગ્ય સંસ્થાની વિશ્વ આરોગ્ય દિન ૨૦૦૯ની પ્રવૃતિઓ.



વળી આજે છે ચૈત્ર સુદ તેરસ પણ.એટલે જૈનોના તીર્થકર એવા શ્રી મહાવીર ભગવાનની જન્મજયંતિ.શ્રી મહાવીર જયંતિ.એટલે આજના દિને તો બેવડો આનંદ થઈ ગયો હે ને...તો ચાલો આજે ભગવાન મહાવીરને યાદ કરી તેમની પૂજા અર્ચના સાથે નવકારમંત્રનું પઠન કરીએ.અને કહેવાય છે કે નવકાર મંત્ર સર્વ મંત્રોમાં મંગલમય છે તો મંત્રનું પઠન કરતા કરતાં ઉજવીએ મહાવીર જયંતિ અને વિશ્વ આરોગ્ય દિન પણ.અને આપ સર્વે પણ ઉત્સવમાં જોડાશોને.અને હા નવકાર મંત્રને સુર સાથે માણવો હોય તો જયશ્રીબેનના ટહુકાની મુલાકાત લેવાનું ભૂલતાં નહીં હોં કે...અને આપનો અમૂલ્ય પ્રતિભાવ પણ આપશો ને...



shri-mahavir




બોલીએ નમો મહાવીર , બોલીએ નમો ત્રિશલા નંદા
વંદન કરીએ મહાપ્રભુને , નિરખી નિમઁલ આંખોમાં



વંદન કરીએ અરિહંતને , નમો અરિહંતાણં
ધ્યાન ધરી સિધ્ધ ભગવંતોનુ , નમો સિધ્ધાણં



મન સ્મરીલે આચાયૅ દેવોને , નમો આયરિયાણં
વંદન ઉપાધ્યાય દેવોને , નમો ઉવજ્ઝાયણં



તમે અમારા તારણહારા ગાઇએ તવ ગુણગાન
વંદન સઘળા સાધુજનોને , નમો લોએ સવ્વસાહૂણં



રોમ રોમમાં પુલકિત થઇને પંચ દેવને નમન કરો
પળે પળે સૌ જપતા રહીએ , અસો પંચ નમુક્કારો



દૂર થશે સઘળા પાપો , નિત્ય હૈયે નવકાર ગણો
અર્થ એનો સૌ સહુ સમજી લઇએ , સવ્વપાવપ્પણાસણૉ



મંત્ર એક નવકાર જગતમાં સર્વ મંગળોમાં અતિ મંગળ
મંગલાણં સવ્વેસિં , પઢમં હવઇ મંગલમ્

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


ગત વર્ષે આજ દિને રજું થયેલ વિશ્વ આરોગ્ય દિન….વિશ્વ–“મન રચના પણ જરૂર માણશો.

No comments: