જય શ્રીકૃષ્ણ મિત્રો,
કેમ છો..? ગઈ કાલે એટલેકે ૧૦મી ડિસેમ્બરે હતો વિશ્વ માનવ અધિકાર દિન.માનવ હંમેશા પોતાના અધિકારનો ફાયદો જ ઉઠાવતો આવ્યો છે અને છતા તેને પોતાનો હક જોઈએ છે પણ પોતાની ફરજો નિભાવવાની આવે ત્યારે પાછી પાની કરે છે.અને આ બધું ક્યારે સર્જાય છે ત્યારે જ્યારે આપણે આપણા હકનો વિચાર કરીએ છીએ પણ બીજાના અધિકાર કે હકને વિસરી જઈએ છીએ.જ્યારે આપણે પોતાના હકને બદલે બીજાના હકને પ્રાધાન્ય આપશું ત્યારે આપોઆપ જ આપણી માંગણિ પણ સ્વીકારાઈ જશે.તો જીવો અને જીવવા દો આ સુત્રને જીવનમાં ઉતારવું પણ પડશે.તો ચાલો આજે માણીએ માનવીની ઈશ્વરને કરેલ ફરિયાદ અને તેનો જવાબ આપતી શ્રી વિજય શાહના વેબ કાવ્ય સંગ્રહ "તમે અને મારું મન"માંથી લીધેલ આ રચના... અને હા તેમના પોતાના બ્લોગ વિજયનું ચિંતન જગતની મુલાકાત લેવાનું પણ ચુકતા નહીં.
પ્રભુ સાથે વાતો કરતો માનવ બોલી ઉઠ્યો કે
પ્રભુ કેમ આપ્યુ શેતાન નાં સંતાન મન ને મસ્તિક્માં ઉંચેરુ સ્થાન્
અને હ્રદયને વેંત નીચે છાતીમાં?
પ્રભુ કહે
મન તો વિકલ્પોમાં ગુંચવે,
કરે નહી કોઇ વહેવારીક વાત
મન તો વિપરીત બુધ્ધી.
સાચુ કદીયે ના જુએ.
તેથી તે સાવકુ અને રાખ્યુ દુર ખાસ.
સમજે હ્રદય મારી બાની તેથી
તેનુ સ્થિર સુરક્ષીત દેહમાં સ્થાન
હ્રદય તો સ્વયં સંચાલીત,
મન નુ ના ચાલે કોઈ જોર.
હ્રદય સાચે જ ધડકે અને ધબકે સૌ સાચી વાતે
No comments:
Post a Comment