November 7, 2008

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે.....આદિલ મન્સૂરી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


શ્રી આદિલ મન્સુરીની રચનાઓ મનહર ઉધાસના સ્વરે આજે લોકમુખે રમતી થઈ ગઈ છે ત્યાર્રે એક ગઝલ યાદ આવે છે જે ગઝલ અને પ્રણયની શરૂઆત રજૂ કરે છે તો માણૉ રચના ને સુર સાથે સુલભગુર્જરીમાં...



iiiiiiiiiii



એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.


જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

આદિલને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

No comments: