October 26, 2008

चलो इक बार फिर से अजनबी बन जाएं...સાહિર લુધિયાનવી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


એક વાત તો કહેવાની રહી જ ગઈ કે ગઈકાલે હતી શ્રી સાહિર લુધિયાનવીની પુણ્યતિથિ.તો તેમનું આ ગીત જે મને ખૂબ જ ગમે છે તે હિન્દીમાં રજૂ કરું છું ……




चलो इक बार फिर से अजनबी बन जाएं हम दोनों



न मैं तुमसे कोई उम्मीद रखूं दिलनवाज़ी की
न तुम मेरी तरफ़ देखो ग़लत-अंदाज़ नज़रों से
न मेरे दिल की धड़कन लड़खड़ाए मेरी बातों में
न ज़ाहिर हो तुम्हारी कश्मकश का राज़ नज़रों से

तुम्हें भी कोई उलझन रोकती है पेश-क़दमी से
मुझे भी लोग कहते हैं कि ये जलवे पराए हैं
मिरे हमराह भी रुसवाईयां हैं मेरे माज़ी की
तुम्हारे साथ भी गुज़री हुई रातों के साए हैं

तआरुफ़ रोग हो जाए तो उसको भूलना बेहतर
तअल्लुक़ बोझ बन जाए तो उसको तोड़ना अच्छा
वो अफ़साना जिसें अंजाम तक लाना न हो मुमकिन
उसे इक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा

चलो इक बार फिर से अजनबी बन जाएं हम दोनों




તથા આજ ગીતનો અનુવાદ કરેલ રઈશ મણીયારની રચના જે મને લયસ્તરોમાંથી મળી તે પણ તેમને શ્રદ્ધાંજલિ આપતા અર્પણ કરું છું..




ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ



અપેક્ષા હું નહીં રાખું હૃદયની સરભરા કેરી
તમે મારી તરફ જોશો નહીં મર્માળુ નજરોથી
હૃદય ધબકાર મારી વાતો દ્વારા વ્યક્ત નહીં થાશે
પ્રગટ થઈ જાય ના તારી દ્વિધાનો ભેદ આંખોથી

તને પણ પહેલ કરતાં મૂંઝવણ કોઈ તો રોકે છે
મને પણ સૌ કહે કે છે પરાઈ રૂપની માયા
વીતેલા કાળના અપમાન સૌ મારા સંગાથી છે
ને તારી સાથ પણ વીતેલી રાતોના છે પડછાયા

પરિચય રોગ થઈ જાયે તો એને ભૂલવો સારો
પ્રીતિનો બોજ જો લાગે તો એને તોડવી સારી
કથા જેને ન પહોંચાડી શકાતી હોય મંઝિલ પર
તો એને એક સુંદર મોડ આપી છોડવી સારી

ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ


……………………………………………


આભાર લયસ્તરો

No comments: