જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે વિશ્વ વિકલાંગ દિન હોવાથી શ્રી વિશ્વદીપ બારડનું આ પ્રેરણાદાયી ગીત મને ગમી ગયું તો તેને આપ સમક્ષ રજુ કરવાની લાલસા રોકી ન શક્યો...સાથે સાથે બીજી એક ફુલની ઢીંગલી પણ મુકું છું...વળી આપ સર્વેને નીચેના આ બીજા ચિત્રમાં શું દેખાય છે..? જી નહીં એ લેપટોપ નહી પણ બર્થડે કેક છે.. તો મારી ભાણીના જન્મદિન નિમિત્તે આ કેકનો સ્વાદ પણ માણજો.
આંખ નથી એથી હું આંધળી નથી,
આંધળી કહેશો નહી મને,
મારા કાન આંખ બની બધુંયે જુવે છે.
ઇશ્વરે આંખને બનાવ્યા છે કાન,
વ્હાલે આપી છે ઘણી મને શાન..આંધળી કહેશો નહી મને
દિવસ-રાત ને સ્પર્શિ શકું,
ચંદ્રના તેજ ને ભાળી શકું…આંધળી કહેશો નહી મને
‘મા’ ના ખોળામાં બેસી,
આખી દુનિયા નિહાળી શકું…આંધળી કહેશો નહી મને
લખીને સારી સૃષ્ટીને સંદેશો આપી શકું,
હજાર છે આંખો નિહાળવા મને..આંધળી કહેશો નહી મને
No comments:
Post a Comment