જય શ્રીકૃષ્ણ મિત્રો,
હમણા હમણાં પ્રદર્શિત થયેલ નજરું લાગીની ઉપરા ઉપરી બે રચના પ્રદર્શિત થવાથી આ વિષય પર પ્રેરિત થઈને ચંદ્રવદન કાકાએ પણ તાજેતરમાં જ એક રચના બનાવી ને આપણા મોરલીવાળાને નજરુંમાં બાંધી દીધા પણ આખરે પ્રેમમાં બંધન ન હોય પ્રેમમાં બંધન કદાચ સંબંધોની અપૂર્ણતા સર્જે છે આ વાતની ગહનતા બાદ તેમણે કાનાને મુક્ત કરી દીધો.અને પછી મળૅલ ખુશીનો આનંદ તો શબ્દોમાં હું વ્યક્ત ન જ કરી શકું.માણૉ તેમની આ રચના...
નજર લગાડી......મેં તો મોહન મોરલીવાલાને, (ટેક )
વનમાં ગાયો છોડી,
ગામે ગોપ-ગોપીઓને છોડી,
એ તો પાસ મારી દોડી દોડી આવે રે......નજર.....૧
માત જશોદા 'ને નંદબાબાને ગોકુળીયે છોડી,
રાધા પ્યારીને એકલી છોડી,
એ તો પાસ મારી દોડી દોડી આવે રે......નજર.....૨
હવે, ગોકળીયુ તો સુનું સુનું લાગે,
માટલીઓ તોડી માખણ કોણ ચોરે ?
કાનો તો છે મારી સંગે રે......નજર....૩
કૃષ્ણ-લીલા વગર જગ છે ઉદાસી,
નજરમાંથી કાનાને મુક્ત કરી, હું તો હવે રાજી,
એ તો દોડી દોડી ભાગે ગોકુળીઆ ગામે......નજર.....૪
………………………………………………….
નવેમ્બર, ૨૬, ૨૦૦૮
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
No comments:
Post a Comment