જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે બરાબર એક મહિનો થઈ ગયો આ સુલભગુર્જરીના શરૂ થયાને. વળી અત્યારે ૨૩મું રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયુ પણ ચાલી રહ્યું છે જે ૨૫મી ઓગસ્ટ થી ૮મી સપ્ટેમ્બર સુધી મનાવવામાં આવે છે.જો કે આ પોસ્ટ વહેલી મૂકવી હતી પણ પછી આજનો દિવસ જ પસંદ કર્યો.વળી આજના દિન માટે રચેલી મારી આ કવિતા પણ આજના દિવસે જ મૂકવાનો વિચાર હતો.જેથી આપ સર્વે મિત્રોને એક વિનંતી કરી શકાય કે જેમ આ સુલભગુર્જરી સુલભ્ય બની તેવી જ રીતે આ દુનિયામાંથી જતા જતા કોઈ વ્યક્તિને ફરી આ સુંદર દુનિયા નિહાળવાની તક આપીએ તો કેવું..? માટૅ જ કહુ છુ કે મૃત્યુ પહેલા રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન આ બે દાન ખરેખર આપના ના હોવા છતા પણ આપની આ દુનિયામાં હયાતી પુરવાર કરશે. વળી આવતીકાલથી એટલેકે ૨૯ ઓગસ્ટથી ચાલો ગુજરાતનો પણ ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે.તો ચાલો આપણે સૌ આ માટૅ કટિબદ્ધ થઈએ. અને આજે માણો મારી આ આંખો પરની રચના જે હું મારા આ બ્લોગને બનાવવામાં મને સતત સાથ અને માર્ગદર્શન આપતા રહ્યા છે તેવી મારી મિત્ર મન ને આ રચના અર્પણ કરું છું.
આખો માણસ તમે વાંચી શકો...
જાણી શકો, જો પારખી જાણો કોઈ આંખો,
હ્રદયની જમાનામાં નથી ખાસ કસોટી,
ઈન્સાનની ખરી પહેચાન છે તેની આંખો !
કહે કે ના કહે જીભ કોઈ હકીકત કદી,
વાચા સતત લાગણીની રજૂ કરે છે આંખો !
વેદના કે વિપત્તિ ટકી ગઈ કદી દિલ પર,
અંતિમ પળે છાની રહી નથી કદી આંખો !
દોસ્તીના દાવા તો વર્તનથી કૈક થાય છે,
છેતરાઈ કોઈ ક્યાં શક્યું છે જોઈને આંખો !
“મન” ના ચમનમાં સદાય ખીલે વસંત,
હોય જો નિરામય પાવક દ્રષ્ટિસભર આંખો !
અર્પી શકે છે અશ્રુબિંદુઓના ગુલાબો,
સ્નેહ નીતરતી જગતની હીર છે આંખો !
વાટ જોઈ રહી છે એ જ વિશ્વાસથી વિશ્વાસની આંખો…..!


No comments:
Post a Comment