August 28, 2008

૨૩મું રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયુ...જો પારખી જાણો કોઈ આંખો.....ડો.હિતેશ ચૌહાણ "વિશ્વાસ"

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે બરાબર એક મહિનો થઈ ગયો આ સુલભગુર્જરીના શરૂ થયાને. વળી અત્યારે ૨૩મું રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયુ પણ ચાલી રહ્યું છે જે ૨૫મી ઓગસ્ટ થી ૮મી સપ્ટેમ્બર સુધી મનાવવામાં આવે છે.જો કે આ પોસ્ટ વહેલી મૂકવી હતી પણ પછી આજનો દિવસ જ પસંદ કર્યો.વળી આજના દિન માટે રચેલી મારી આ કવિતા પણ આજના દિવસે જ મૂકવાનો વિચાર હતો.જેથી આપ સર્વે મિત્રોને એક વિનંતી કરી શકાય કે જેમ આ સુલભગુર્જરી સુલભ્ય બની તેવી જ રીતે આ દુનિયામાંથી જતા જતા કોઈ વ્યક્તિને ફરી આ સુંદર દુનિયા નિહાળવાની તક આપીએ તો કેવું..? માટૅ જ કહુ છુ કે મૃત્યુ પહેલા રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન આ બે દાન ખરેખર આપના ના હોવા છતા પણ આપની આ દુનિયામાં હયાતી પુરવાર કરશે. વળી આવતીકાલથી એટલેકે ૨૯ ઓગસ્ટથી ચાલો ગુજરાતનો પણ ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે.તો ચાલો આપણે સૌ આ માટૅ કટિબદ્ધ થઈએ. અને આજે માણો મારી આ આંખો પરની રચના જે હું મારા આ બ્લોગને બનાવવામાં મને સતત સાથ અને માર્ગદર્શન આપતા રહ્યા છે તેવી મારી મિત્ર મન ને આ રચના અર્પણ કરું છું.






આખો માણસ તમે વાંચી શકો...


જાણી શકો, જો પારખી જાણો કોઈ આંખો,


હ્રદયની જમાનામાં નથી ખાસ કસોટી,


ઈન્સાનની ખરી પહેચાન છે તેની આંખો !


કહે કે ના કહે જીભ કોઈ હકીકત કદી,


વાચા સતત લાગણીની રજૂ કરે છે આંખો !



વેદના કે વિપત્તિ ટકી ગઈ કદી દિલ પર,


અંતિમ પળે છાની રહી નથી કદી આંખો !



દોસ્તીના દાવા તો વર્તનથી કૈક થાય છે,


છેતરાઈ કોઈ ક્યાં શક્યું છે જોઈને આંખો !



મન ના ચમનમાં સદાય ખીલે વસંત,


હોય જો નિરામય પાવક દ્રષ્ટિસભર આંખો !



અર્પી શકે છે અશ્રુબિંદુઓના ગુલાબો,


સ્નેહ નીતરતી જગતની હીર છે આંખો !


વાટ જોઈ રહી છે એ જ વિશ્વાસથી વિશ્વાસની આંખો…..!

No comments: