February 14, 2008

પ્રેમ એટલે....ઊર્મિસાગર




પ્રેમ માટે તો કોઈ એક દિવસ ન જ હોય. પરંતુ જો પ્રેમ ની વાત નિકળી જ હોય તો એક નામ તો સહુ કોઈ ના મન માં આવે જ. સાવ સાચુ મિત્રો એ છે રાધા-કૃષ્ણ નુ જ સ્તો. પ્રેમ ની તો કોઈ પરીભાષા ન હોય છતા કંઈક અહીં પ્રસ્તુત કરુ છુ...જે આપણા લોકલાડીલા ઉર્મિબેન ની એક અદભૂત રચના છે.




krishna Radha-Krishna

પ્રેમ એટલે હું નહીં
પ્રેમ એટલે તું ય નહીં
પ્રેમ એટલે-
હુંથી તુંસુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી

પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ




પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં
પ્રેમ એટલે રાધા જ નહીં
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર




પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ.....

No comments: