July 15, 2011

ગુરૂપુર્ણિમા...નિર્મળ બની નહી કાયા.....ચુંથાભાઈ જીજીદાસ પટેલ

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે અષાઢી પૂનમ એટલે કે ગુરૂપુર્ણિમા. જીવનયાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે. સદગુરુ શિષ્યનાં જીવનને દિશા આપે છે. માટે જ તો કહે છે કે

ગુરૂ ગોવિંદ દોનો ખડે, કીસકો લાગુ પાય,
બલિહારી ગુરૂ આપને, ગોવિંદ દિયો બતાય.


ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર,
ગુરૂઃ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ


તો ચાલો આજે માણીએ શ્રી ચુંથાભાઈ જીજીદાસ પટેલ ની આ રચના... આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ.....



કરી જાતરા જીવ ભરમાયા તોયે નિર્મળ બની નહી કાયા
ગણા મંડપ મેળાવડા રચાયા તોયે એવા ને એવા જણાયા

પંચ વિષયના પ્યાર
નથી છુટતા લગાર
ગંગા યમુનાના નિરમાં નાહ્યા તોયે નિર્મળ બની નહી કાયા

સુણ્યાં પોથી પુરાણ
તોય રહ્યા અજાણ
સાત દિવસ સપ્તાહમાં ગુમાવ્યા તોય એવ ને એવા જણાયા

લાગ્યો પુરુષોત્તમે રંગ
જાણ્યો મેશ્વો નદી ગંગ
ગંગા નદીમાં દિવડા જગાવ્યા તોય એવા ને એવા જણાયા

તિલક માળાનો ને’મ (નિયમ)
તોય મનમાં ગણો વ્હેમ
કંઠે તુલસીના મણકા લગાવ્યા તોય નિર્મળ બની નહી કાયા

મળ્યા સદ્‍ગુરૂ દેવ
કરી ચરણની સેવ
ચુંથારામ પુરણ મનોરથ પાયા પછી હરખે ગુરૂના ગુણ ગાયા

No comments: