skip to main |
skip to sidebar
આજે તો ૨૯મી માર્ચ. આપણા ગુજરાતી સાહિત્યના ઊર્મિશીલ કવિ હરિન્દ્ર દવે ઈ.સ. ૧૯૩૦માં કચ્છના ખંભરા ગામે થયેલો. મુંબઈ યુનિ.મા એમ.એ. કરી 'જનશક્તિ' દૈનિકના તંત્રીપદે રહ્યા.
તેમની રચનાઓ માં અગનપંખી , પળના પ્રતિબિંબ, અનાગત, મુખવટો, લોહીનો રંગ લાલ વગેરે નવલકથાઓ છે. આસવ, મૌન, અર્પણ, સૂર્યોપનિષદ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે.તેમના કાવ્યસંગ્રહ “હયાતિ” ને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પારીતોષિક મળૅલ છે.અને તેમણે આજના દિવસે એટલે કે ૨૯-૦૩-૧૯૯૫ ના રોજ ચિરવિદાય લીધી.
તો આજે તેમનું આ ગીત સાંભળીને માત્ર તેમની જ નહીં પણ કોઈક બીજા, કોઈક પોતાનાની પણ યાદ આવી જ જાય ને દોસ્તો.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
No comments:
Post a Comment